Porbandar News: પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે 3 સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદર કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં 3 કોસ્ટ ગાર્ડ જવાનો શહીદ થયા હતા.

પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્ક્લેવમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં વિસ્ફોટ થયો હતો. હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ ફાયર ફાઈટર આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.
ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. માહિતી સામે આવી છે કે કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. અન્ય ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે હેલિકોપ્ટર ક્રેશ થતાં વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવું જોઈએ. આ સાથે હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી પણ સામે આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવું જોઈએ.
જિલ્લા કલેકટરે ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. એવું માનવામાં આવે છે કે તાલીમ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મૃતકોને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
હવે એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ છે. એજન્સીઓ એરપોર્ટની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે. અકસ્માત બાદ હેલિકોપ્ટર બળી ગયું હતું.
