Amreli News/ પાટીદાર દીકરીના પડખે આવ્યા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, કહ્યું- ન્યાય નહીં મળે તો…

લેટરકાંડ અને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળવા મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘લાજ લેનારા સામે લડીશું.

Top Stories Gujarat Others

Amreli News: અમરેલીના બહુચર્ચિત પત્ર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય મળે તે માટે રાજકીય અને સામાજિક આગેવાનો આગળ આવ્યા છે. આજે પરેશ ધાનાણીએ 24 કલાકનું અલ્ટીમેટમ આપી આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બરતરફ કરવા માંગ કરી છે. જો 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો અમરેલી પોલીસે ગુરુવારે સવારે 10:00 વાગ્યાથી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પત્ર પરિષદ યોજીને પાટીદાર યુવતીને ન્યાય આપવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે નકલી પત્ર કૌભાંડમાં સંડોવાયેલી છોકરી પાયલ ગોટી નિર્દોષ છે. પરેશ ધાનીએ કહ્યું કે પાયલ ગોટીને પોલીસે 16 કલાક સુધી ગેરકાયદેસર રીતે માર માર્યો હતો. પાટીદાર યુવતી પાયલ ગોટીનો જાહેર વરઘોડો કાઢનાર લોકોને જો આજે છોડી મૂકવામાં આવશે તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહી રહે.

વધુમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બરતરફ કરવામાં આવે. દીકરીને મારનાર વ્યક્તિનો પટ્ટા ઉતારી અને દીકરીને ન્યાય આપો. જો 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો અમરેલી પોલીસે ગુરુવારે સવારે 10:00 વાગ્યાથી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.

પત્રમાં પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને આ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જો કૌશિક વેકરીયા નિર્દોષ છે તો આવતીકાલે સાંજે 6:00 કલાકે રાજકમલ ચોક ખાતે જાહેર ચર્ચા યોજાશે. આ મામલે પરેશ ધાનાણીએ રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડતમાં જોડાવા હાકલ કરી હતી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા મીડિયમ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

લેટરકાંડ અને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળવા મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો ‘જાહેરમાં વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે! શકુનીઓને સજા આપો. કાયદાની રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે, પણ એક અબળાની ભરબજારે લૂંટાયેલી આબરુનું શું થશે? સળગતો સવાલ… સરદારના નામે સરકાર બનાવનારા શિખંડીઓની જમાતે માત્ર પોતાના રાજકીય અહંમને સંતોષવા એક નિર્દોષ અબળાની ભરબજારે આબરુ કાઢી છતાંય સમાજના શ્રેષ્ઠીઓની હજુય અકળ મૌનથી સમાજને શંકા થાય છે કે, એ બધા સમાજના આગેવાનો હશે કે પછી માત્ર સરકારી એજન્ટ?

તો બીજી તરફ, લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ બાદ હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા મોડે મોડે મેદાનમાં આવ્યા છે. પ્રશાંત ધાનાણીના નિવેદન બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ સંસદ નારણ કાછડીયાએ જાતે વીડિયો બનાવી પ્રતિક્રિયા જાહેર કરી છે. જેમાં અમરેલી ભાજપના જ નેતા નારણ કાછડીયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, આવી ઘટના બને ત્યારે શરમથી માથું ઝૂકી જાય. અમરેલી પોલીસએ જે કર્યું છે તે માટે કોઈ શબ્દો મારી પાસે વખોડવાના નથી. નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને અમરેલીની બજારમાં સરઘસ કાઢવું. કોઈને સારા થવા માટે અમરેલી પોલીસએ કૃત્ય કર્યું છે તે દેખાય છે. આવું કરવા પાછળ કોનો ઈશારો શા માટે કર્યું છે? આ ખરેખર લેટર ક્યાંથી આવ્યો કોની સહી છે સાચા થાય તો કલાકમાં બહાર આવી જાય. ગુનેગાર હોય તેની સજા થવી જોઈએ. અમરેલી જિલ્લા વહીવટી તંત્રને વનસાઈડ દેખાય છે તે બંધ કરે તંત્ર આંખ કાન ખુલા રાખે. જાહેર જીવનમાં હું 30 વર્ષથી છું આવી ઘટના કોઈ દિવસ બની નથી આજે બની છે. પાર્ટીને નુકસાન થયું છે તેમા કોઈ શંકા નથી પાર્ટીમાં બેઠેલા લોકોનું શરમથી માથું ઝૂકી જાય તેવી છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખને કહું છું દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છમાં ગ્રીષ્મા જેવો બીજો એક હત્યાકાંડ: સમાજમાં ભારે રોષ, લોકોએ યોજી રેલી

આ પણ વાંચો: કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, 3.8 ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો: ભુજમા 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી 18 વર્ષની યુવતી