Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગાંધીનગર (Gandhinagar) લોકસભા થલતેજ, ન્યુ રાણીપ અને સાબરમતીમાં કાર્યકરો અને નેતાઓ સાથે ઉત્તરાયણ (Uttarayan) પર્વની ઉજવણી કરશે. તેઓ ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત અને આવાસ યોજના હેઠળ આવાસ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
અમિત શાહ સાંજે ન્યૂ રાણીપ સાબરમતીમાં આર્ય વિલા ફ્લેટ્સ અને અરહમ ફ્લેટ્સ ખાતે ઉત્તરાયણ ઉજવશે. 15મી તારીખે કલોલ, માણસામાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. 16મી તારીખે, PM મોદીના વડનગરમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે જ્યાં તેઓ ભણ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ બાદ તમામ મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક પર ચર્ચા બાદ નામોની જાહેરાત કરી શકે છે. સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર યાદવ પણ 15-16 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકની યાદી તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામોની ચર્ચા કરવામાં આવશે, જેમાં ચાર મહાનગરોના વડાઓની ખાસ ચર્ચા કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી મહાનગર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઉત્તરાયણને લઈ ઈમરજન્સી સેવા સજ્જ, 108ની ટીમ તૈનાત
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી
