Ahmedabad : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSHSEB ) આજ(27મી ફેબ્રુઆરી)થી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ. રાજ્યભરમાં કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડે ધોરણ 10 માટે 989 પરીક્ષા કેન્દ્રો અને ધોરણ 12 માટે 672 પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કર્યા છે.
પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું પરીક્ષા હોલમાં પ્રવેશતા પહેલા તેમના સંબંધિત કેન્દ્રો પર સ્વાગત કરવામાં આવશે. કેન્દ્રો ફાળવેલ બધી શાળાઓમાં CCTV કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. વધુમાં એક ટ્રેકિંગ એપ્લિકેશન પ્રશ્નપત્રોની હિલચાલ પર નજર રાખશે જ્યાં સુધી તેઓ પરીક્ષા હોલમાં ન પહોંચે, જેથી પેપર લીક થતું અટકાવી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોર્ડ પરીક્ષાઓ આજે 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ, 2025 સુધી લેવામાં આવશે. પ્રક્રિયાને સુચારુ રીતે સંચાલિત કરવા માટે બોર્ડે ધો. 10 માટે 87 ઝોન અને ધો. 12 માટે 59 ઝોન સ્થાપિત કર્યા છે. ધો. 10 ના વિદ્યાર્થીઓમાંથી 8,92,882 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જેમાં નિયમિત, ખાનગી, રિપીટર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ધો. 12 સામાન્ય પ્રવાહ માટે 4,23,909 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 ઉમેદવારો છે. ધો. 10 માટે 31,397 બ્લોક ધરાવતી 3,203 ઇમારતોમાં પરીક્ષાઓ લેવામાં આવશે. જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 5,680 બ્લોક ધરાવતી 554 ઇમારતોમાં લેવામાં આવશે. દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા 13,914 બ્લોક ધરાવતી 1,465 ઇમારતોમાં લેવામાં આવશે.
ગેરરીતિઓ અટકાવવા માટે પરીક્ષા ખંડોમાં મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર સખત પ્રતિબંધ છે. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર લીક થવા અંગે ખોટી માહિતી સામે સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: SSC અને HSC ના પરીક્ષાર્થીઓને શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ શુભકામનાઓ પાઠવી
આ પણ વાંચો: 2026 થી CBSE બોર્ડ પરીક્ષા પદ્ધતિ બદલાશે, 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવામાં આવશે
આ પણ વાંચો: ST નિગમ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડ પરીક્ષા માટે વધારાની બસોની વ્યવસ્થા
