Health News: દહીં (Curd) ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. દહીં ખાવાથી પાચનતંત્ર (Digestion) મજબૂત બને છે. ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે દહીં ખાવની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ રોગમાં દહીંનું સેવન ન કરવું જોઈએ. આવો જાણીએ દહીં ખાવા અંગે નિષ્ણાતો શું કહે છે.
શરદી કે ઉધરસ (Cough) થવી એક સામાન્ય સમસ્યા છે. શરદી એક અઠવાડિયાની અંદર કોઈ દવા વગર સારૂં થઇ શકે કે, પરંતુ સર્દી સાથે નાક વહેવું, માથાનો દુખાવો, તાવ જેવા લક્ષણો સાઇનસના છે. સાઇનસ એક પ્રકારનું વાયરસ ઇન્ફેકશન છે. સાઇનસ (Sinus)ની સમસ્યાના કિસ્સામાં ઘણા લોકો દવાનું સેવન કરે છે દવાના સેવનથી સાઇનસની સમસ્યામાં રાહત મળે છે, પરંતુ તે હંમેશા માટે દૂર થતી નથી. સાઇનસની બીમારીમાં દવા સાથે આહારનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જયારે તમને સાઇનસ હોય ત્યારે અમુક પ્રકારનાં ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જાણો સાઇનસના દર્દીએ શું ન ખાવું જોઈએ.
દહીં
નિષ્ણાંત અનુસાર દહીં ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ સાઇનસના દર્દીઓએ દહીંનું સેવન ટાળવું જોઈએ. દહીંના સેવનથી સાઇનસની સમસ્યા વધી શકે છે. દહીંનું સેવન કરવાથી શરીરમાં બેક્ટેરિયા પેદા કરે છે જેનાથી ઈન્ફેક્શનની સમસ્યા વધે છે.
સાઇનસના દર્દીઓએ રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવું તેમના માટે નુકસાનકારક થઇ શકે છે. રાતના સમયે દહીં ખાવાથી બીજા દિવસે સમસ્યા વધી શકે છે અને ચહેરા પર સોજો પણ આવી શકે છે. રાત્રે માત્ર દહીં જ નહીં પણ દહીંથી બનતી દરેક વાનગીથી સમસ્યા થઇ શકે છે.
લાળમાં સોજો (Saliva)
દહીંની તાસીર ઠંડી હોય છે. તેથી દહીંનું સેવન કરવાથી શરીરમાં કફ વધી શકે છે. વધુ પડતા દહીંનું સેવન કરવાથી શ્લેષ્મમાં સોજો આવી શકે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો તમારે દહીં ખાવું હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો કે તમારે ક્યારે અને કેવી રીતે દહીં ખાવું જોઈએ.
આ પણ વાંચો:વિટામિન B-12ને વધારો 21 દિવસમાં, દહીં ખાઈ રહો નિરોગી
આ પણ વાંચો:દહીં સાથે આ ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે બની શકે છે ‘ઝેર’
આ પણ વાંચો:દહીંમાં ખાંડ ભેળવવું યોગ્ય છે કે મીઠું? સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે…….
