Rajkot News/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં રાષ્ટ્રીય સ્તરનો ટૂંકા ગાળાનો કોર્ષ યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ યોજનામાં 1.50 લાખ રૂપિયા આપ્યા હતા.

Top Stories Gujarat

Rajkot News: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) નું અંગ્રેજી ભવન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. નિદત બારોટે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને લેખિતમાં વિનંતી કરી છે. આ સંદર્ભમાં, ભવનના અધ્યક્ષનું કહેવું છે કે સતત ત્રીજા વર્ષે બરોડાની NGO સાથે મળીને કામ કરી રહી છે. જેમાં લગભગ 60 વિદ્યાર્થીઓએ બરોડા NGOના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં રાષ્ટ્રીય સ્તરનો ટૂંકા ગાળાનો કોર્ષ યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ યોજનામાં 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. આ કાર્યક્રમ બળવંત પારેખ સેન્ટર-બરોડાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ સંયોજક પ્રોફેસર કમલ મહેતાએ 700 રૂપિયા એકઠા કર્યા અને તે લેવાનું નક્કી કર્યું. શહેરની બહારના વિદ્યાર્થીઓ માટે ફી 1500 થી 2500 રૂપિયા રાખવામાં આવી હતી.

રજિસ્ટ્રેશન ફી તરીકે લગભગ 1.50 લાખ થી 2 લાખ રૂપિયા. આ રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા ભવન ખાતામાં જમા કરાવવી જોઈએ. આ રકમ એકઠી કરવાની સુવિધા પણ વિદ્યાર્થીઓને આપવી જોઈએ. આ બધી રકમ બરોડાના બળવંત પારેખ સેન્ટરમાં જમા કરાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કમલ મહેતાએ યુનિવર્સિટી ભવનના ચેરમેન રવિ ઝાલાના આશ્રયનો ઉપયોગ કરીને બરોડા સંસ્થાને નાણાકીય લાભ આપ્યો હતો.

જો કોઈ NGO યુનિવર્સિટીમાં કોઈ કાર્યક્રમને સ્પોન્સર કરે છે અને સ્પોન્સરશિપ માટે આપવામાં આવેલી રકમના બદલામાં નોંધણી ફી મેળવે છે, તો શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવા વ્યવસાયને મંજૂરી આપશે, શું આ બાબતને મંજૂરી આપવામાં આવી છે.આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ચેરમેન ડૉ. રવિસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી ભવન દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, આ વખતે પણ ૨૪ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ટૂંકા ગાળાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલી અને સામાન્ય અર્થશાસ્ત્ર વિષય પર રાષ્ટ્રીય સ્તરનો ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં લગભગ ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે, આ બાબતે વધુ માહિતી સંયોજક ડૉ. કમલ મહેતા પાસેથી મળી શકશે. જોકે, ડૉ. મહેતાનો સંપર્ક થઈ શક્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિ. પ્રોફેસર સામે 5 વિદ્યાર્થિનીઓએ કર્યા આક્ષેપો

આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના VCનો વિવાદિત નિર્ણય: 285 ખાનગી કોલેજોની ફી અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી કર્યા વિના GCAS પોર્ટલ પર ડેટા અપલોડ કર્યો

આ પણ વાંચો:લ્યો બોલો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લાગ્યો સાયરન વાળી ગાડીનો શોખ