Jammu Kashmir News: જમ્મુ (Jammu) અને કાશ્મીર (Kashmir) ના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટર જિલ્લાના છત્રુ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં બે વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ પણ કામગીરી ચાલુ છે.

યાદ રહે કે 9 એપ્રિલના રોજ, છત્રુ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જ્યારે સુરક્ષા દળોએ શંકાસ્પદ ગતિવિધિઓને પગલે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો:સેનાએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા, 5 લાખનું ઈનામ, ડોડામાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
