Jammu Kashmir News: પહેલગામ (Pahalgam Terror Attack) આતંકી હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત મામલે દ્વારકા (Dwarka)ના શારદાપીઠનાં શંકરાચાર્ય (Shankracharya)એ ચિંતા વ્યક્ત કરી છે. ધર્મ વિશે પૂછીને હત્યા કરાતા લોકતંત્ર માટે ચિંતાની વાત છે તેમ કહ્યું હતું.
કાશ્મીરના પહેલગામની દુ:ખદ ઘટનાએ આતંકવાદીઓને સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. એ સાબિત થયું છે કે આતંકવાદીઓએ ચોક્કસ ધર્મના લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમની હત્યા કરી હતી.
ધર્મ (Religion) શબ્દના અર્થની જાણકારીના અભાવે, આતંકવાદ (Terrorism)ને ધર્મ સાથે જોડવામાં આવ્યો છે. આતંકવાદીઓનું કામ મારવાનું છે. ત્રેતાયુગમાં રાવણનું આ કાર્ય હતું, દ્વાપરયુગમાં કંસનું આ કર્તવ્ય હતું. કળિયુગમાં આ આતંકવાદીઓ રાવણ અને કંસનું રૂપ ધારણ કરીને આપણા રાષ્ટ્રવાદ પર હુમલો કરે છે. એકતા જરૂરી છે. આજે આપણા દેશની ત્રણેય સેનાઓ એટલી મજબૂત છે કે કોઈમાં સામસામે લડવાની હિંમત નથી. વિદેશી કાવતરાખોરો ભારતને નબળું પાડવા માટે આતંકવાદનો આશરો લઈને આવા કૃત્યો કરે છે. એ સમજવું મહત્વપૂર્ણ છે કે આપણી એકતા જ જવાબ છે. આનો અંતિમ જવાબ એ હશે કે બધા હિન્દુઓએ સાથે ઊભા રહેવું જોઈએ.
આ પણ વાંચો:પહેલગામ હુમલાનું હમાસ કનેક્શન… ઇઝરાયલે શું કહ્યું, તે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને અસર કરશે
આ પણ વાંચો:જો કોઈ વિમાન પાકિસ્તાનમાંથી પસાર થયું તો…! શાહબાઝ સરકારે ભારતને આપી મોટી ચેતવણી
