National News : ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યોને 7 મેના રોજ નાગરિક સંરક્ષણ સંબંધિત મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, મોક ડ્રીલ દરમિયાન આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે –
હવાઈ હુમલાની ચેતવણી દરમિયાન સાયરન વગાડવું. હુમલા દરમિયાન નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને પોતાનું રક્ષણ કરવા માટે તાલીમ આપવી.હુમલા દરમિયાન બ્લેકઆઉટ.સ્થળાંતર અથવા આયોજન અને રિહર્સલ.
આ મોક ડ્રીલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહને મળ્યા હતા. તાજેતરમાં, તેઓ એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી ચીફ દિનેશ કુમાર ત્રિપાઠીને પણ મળ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયુસેનાના વડાએ વડાપ્રધાન મોદીને યુદ્ધની તૈયારીઓ વિશે માહિતી આપી. રવિવારે થયેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે વાયુસેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પશ્ચિમી સરહદ પર સંરક્ષણ નેટવર્ક સંપૂર્ણપણે સક્રિય છે અને રાફેલ પણ તૈયાર છે.
અહીં, BSFએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આરોપીને ઠાકુરપુર ગામ નજીક સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી પાસ આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. જેના પર તેની ઓળખ હુસૈન તરીકે લખેલી છે અને તે ગુજરાંવાલાનો રહેવાસી છે.પહેલગામ હુમલા સમયનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. એક માર્કેટમાં લગાવેલા સીસીટીવી દ્વારા રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં લોકો દોડતા જોવા મળે છે.
આ પણ વાંચો: જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં રાજનાથસિંહે આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
આ પણ વાંચો: ચીનના અતિક્રમણનો ભારતીય લશ્કરે બહાદુરીથી જવાબ આપ્યોઃ રાજનાથસિંહ
આ પણ વાંચો: તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન
