Dahod News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસની ગુજરાતની મુલાકાતે (Gujarat visit) આવ્યા છે. જેમાં તેમણે પ્રથમ 9000 HP લોકોમોટિવ એન્જિન (Locomative Engine) દેશને સમર્પિત કર્યું હતું. આ એન્જિન દાહોદ જિલ્લામાં બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી દાહોદ (Dahod)માં ‘મેક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા રેલ્વે ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરશે. આ લોકોમોટિવ એન્જિન (Locomative Engine) પર ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’ લખેલું છે.
દાહોદમાં બનેલ રેલ્વે ઉત્પાદન એકમ 10 હજાર લોકોને રોજગારી આપશે. દાહોદ (Dahod)માં ઉત્પાદિત લોકોમોટિવ એન્જિન 4600 ટન વજનનો કાર્ગો વહન કરી શકશે. વડાપ્રધાન મોદીની દાહોદ (Dahod) મુલાકાત માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ રેલ્વે એન્જિન ફેક્ટરીનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો.દાહોદમાં PPP મોડેલ પર બનેલી આ રેલ ફેક્ટરીમાં 10 વર્ષમાં 1200 એન્જિન બનાવવામાં આવશે. ભવિષ્યમાં આની દેશ અને વિદેશમાં નિકાસ કરવામાં આવશે.
દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન નજીકના ભવિષ્યમાં ‘મેક ઇન ઈન્ડિયા’ ની તર્જ પર 100 ટકા કરવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિન (Locomative Engine)ની ખાસિયત એ છે કે તે 4600 ટન વજનનો કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. પહેલી વાર એન્જિનમાં ડ્રાઇવર માટે એસી (Air Conditioner) અને ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. અકસ્માતો ટાળવા માટે કવર સિસ્ટમ્સ (Cover system) પહેલાથી જ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
દાહોદમાં 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રેલ્વે ફેક્ટરીમાં આગામી 10 વર્ષમાં લગભગ 1200 લોકોમોટિવ એન્જિન (Locomative Engine) બનાવવામાં આવશે. તાજેતરમાં દાહોદમાં 4 એન્જિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ બધા એન્જિન પર ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’ (Manufacturing by Dahod) લખેલું હશે.આ પ્રોજેક્ટને કારણે દાહોદ અને નજીકના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર લોકોને રોજગાર (Employment) મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે.
વધુમાં; સૌથી ઓછી બોલી લગાવનાર બહુરાષ્ટ્રીય કંપનીને રેલ્વે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ વસ્તુઓની જરૂર પડશે અને આનાથી પાવર સેક્ટર અને એન્જિનિયરિંગ ક્ષેત્રની નાની અને મોટી કંપનીઓ માટે આ વસ્તુઓ સપ્લાય કરવાની તક ઊભી થશે. 9000 HP 6 એક્સલ ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ એન્જિનોની જાળવણી પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પુણે ડેપોમાં કરવામાં આવશે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ
આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન
