અમદાવાદઃ શેહરમાં પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવાનો માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યકમને જોતા કોઇ અનઇચ્છનિયા બનાવ ના બને તે માટે તકેદારીના ભાગ રૂપિ પોલીસ કમિશ્નર દ્વાર અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ કલમ મુજબ ચારથી વધુ વ્યક્તિના મળવા પર પ્રતિબંધ હોય છે. 11 માર્ચ સુધી ચારથી વધુ શખ્સો ભેગા નહી થઇ શકે.
બાપુનગરમાં શહિદોને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાર્દિપ પટેલ પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમ યોજવા માટે પોલીસ કમિશ્નર પાસે મંજુરી માંગવામાં આવી છે.