નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપીમાં ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે તબક્કાની ચૂંટણી માટે સોમવારે ણઉમાં સભાને સંબોધી હતી. જેમા કોંગ્રેસ,સપા અને બસપા પર ભારે નિશાન સાધ્યું હતું.
લોકસભા ચૂંટણી દરમિયાન 10 મે 2014 માં સભ રદ્દ થયા બાદ આજે તેને લઇને માંફી માંગી હતી અને જણાવ્યું હતું કે, સુશીલ રાયના નિધનના લીધે સભાને રદ્દ કરવામાં આવી હતી.
પીએમ મોદીએ નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, એક મેદાનમાં ત્રણ સભા થઇ રહી છે. આજે પણ અમુક વિસ્તારમાં મતદાન થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં જેટલા પણ મતદાનનો પ્રવાસ કર્યો છે. તમામને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે તમામ મતદાતાઓને અભિનંદન કરું છું. પહેલા તબક્કાથી જ બીજેપી માટે સમર્થન ઉભરી રહ્યું છે.
યૂપીના તમામ નગરિકોને વિશ્વાસ અપાવવા માંગું છું કે,પૂર્ણ બહુમત હોવા છતા તમામ સાથિ પક્ષોનું સમ્માન કર્યુ છે. બીજેપીને યૂપીમાં પૂર્ણ બહુમતી મળશે તો સાથી પક્ષોને સરકારમાં ભાગીદારી મળશે.
ચૂંટણી જાહેરતા થયા બાદ સમાજવાદી પાર્ટી કૉંગ્રેસના ખોળામાં જઇને બેસી ગઇ છે. શરૂઆતમાં અખબારમં ફોટા છપાવીને ખુશ રહેતા હતા.
જ્યારે ગઠબંધન કરીને નિકળ્યા ત્યારે બે તૃતિયાંસ બહૂમતીની વાત કરવામાં આવતી હતી. પહેલા તબક્કાના મતદાન બાદ અમુક લોકોએ પ્રચારમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો. બે તૃતિયાંસ બાદ તમામ હાથ જોડીને કહેવા લાગ્યા કે, એક વાર વધુ તક આપો. પોતાના વિસ્તારમાં પણ તેમની ઘોલાઇ થઇ ગઇ હતી.