Bhavnagar News/ ભાવનગર વરતેજ પોલીસ પર નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરવાના આરોપ

આ યુવાનો પર ખોટા કેસ નોંધીને તેમને તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat

Bhavnagar News: ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન પર નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ મુદ્દે બુધેલ ગામના રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા ઉગ્ર પ્રતિક્રિયા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં પોલીસ દ્વારા નિર્દોષ યુવાનોને તડીપાર કરવાના પગલાંનો તીવ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બુધેલ ગામના નિર્દોષ યુવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ યુવાનો પર ખોટા કેસ નોંધીને તેમને તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે, અને રાજપૂત સમાજ તેમજ કરણી સેનાએ આ મામલે એકજૂથ થઈને પોલીસની કાર્યશૈલી સામે વિરોધ નોંધાવ્યો છે.

જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં રાજપૂત સમાજ અને કરણી સેનાએ આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે. તેમણે માંગણી કરી છે કે પોલીસની કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને નિર્દોષ યુવાનોને ન્યાય આપવામાં આવે. આવેદનપત્રમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો સમાજ દ્વારા વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન