અમદાવાદઃ તારક મહેતાના નિધન બાદ પરિવારના સભ્યોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. તારક મહેતાના મૃત શરીરને વી.એસ હોસ્પિટમાં આવેલા મેડિકલ કોલેજમાં દાન કરી દેવામાં આવ્યો છે.
સમગ્ર દેશ અને દુનિયામાં જાણીત હાસ્ય લેખક તારક મહેતાનું આજે સવારે લાંબી બિમારી બાદ 88 વર્ષની ઉમેર તેમના નિવાસ્થાને નિધન થયું હતુ. તારક મહેતાને તેમણે લખેલા વિવિધ પાત્રોને લઇને યાદ રાખવામાં આવશે. તારક મહેતાએ ટપુડો, ચંપક કાકા જેવા પાત્રોને જીવંત બનાવી દીધા હતા. તારક મેહતાના નિધનથી સાહિત્ય જતમાં શોકનું મોજુ ફરિવળ્યું છે.