
UNESCO ની ૪૧ મી બેઠક પોલેન્ડ ના ક્રકોવ શહેર માં મળી હતી, જ્યાં ઇન્ટરનેશનલ કલ્ચરલ ના ડિરેક્ટર જેક પર્કલા એ અમદાવાદ ને વલ્ડ હેરીટેજ શહેર નો દરજ્જો આપ્યો હતો. અમદાવાદ ને હેરીટેજ નો દરજ્જો અપાવા માટે છેલ્લા ૬ મહિના થી ડોઝીયાર UNESCO સમક્ષ રખાયું હતું, ડોઝીયાર રજુ કરાયા બાદ UNESCO દ્વારા કેટલાક સુધારા માટે માટે પાછું મોકલાયું હતું. ત્યાર બાદ એક્ષ્પર્ટ ટીમ ની મદદ લઈને જરૂરી સુધારા કરાયા હતા. ત્યારબાદ UNESCO ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત બાદ હેરીટેજ શહેર નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
