Ahmedabad News/ અમદાવાદના ત્રણ દરવાજા પાસે દુકાનમાં લાગી આગ

અમદાવાદના ત્રણ દરવાજા પાસે પૂજાની દુકાનમા અચાનક આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં સમગ્ર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદમા ફરી એક દુકાનમા આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્રણ દરવાજા પાસે બની હતી જ્યાં એક પૂજાનો સામાન વેચતી દુકાનમા આગ ભભૂકી ઉઠી હતી આ આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર દુકાન બળી ગઈ હતી. સવારના સમયે અચાનક આગ લાગતા દોડધામ થઈ ગઈ હતી.આ બનાવની જાણ થતાં ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી.  તેમજ આગ (Fire) પર કાબૂ મેળવવા ફાયરે પાણીનો મારો ચલાવ્યો હતો સમગ્ર ઘટનામાં જાનહાનિ ટળી હતી.

પૂજાનો સમાન વેચતી દુકાનમાં અચાનક લાગી આગ

આ સિવાય શહેરમાં અસલાલી બારેજા રોડ પર થીનર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી જેથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો.આગની માહિતી મળતાં, પોલીસ અને ફાયર વિભાગ (Fire Department) બંને ઘટનાસ્થળે દોડી ગયા અને અંદર રહેલા લોકોને બહાર કાઢ્યા.

બનાવની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે

વધુમાં, ફાયર વિભાગ પાંચ ટીમો સાથે પહોંચ્યું અને 10 ટેન્કરમાંથી લાખો લિટર પાણી રેડ્યું. આગની તીવ્રતાને કારણે, તેને કાબુમાં લેવામાં લગભગ પાંચ કલાક લાગ્યા. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કેટલાક ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ફાયર બ્રિગેડે ત્યારથી કૂલિંગ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન, પોલીસે FSL ને જાણ કરી છે અને આગનું કારણ અને તેની ગંભીરતા નક્કી કરવા માટે વધુ તપાસ કરી રહી છે. ઉપરાંત, કંપનીમાં કયા પ્રકારના રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો હતો તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં પત્નીએ પ્રેન્ક કરતાં પતિએ ડિવોર્સ માંગ્યા:કહ્યું- પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર મજાક કરી

આ પણ વાંચો:અમદાવાદમાં વૃદ્ધ ટ્રાવેલ એજન્ટને બે યુવાનોએ ધક્કો મારતાં થયું મોત

આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસ બની સતર્ક, શહેરમાં પ્રવેશતા માર્ગો પર કરાઈ નાકાબંધી