Mahesana News: વિસનગર(Visnagar)ના તરભ વાળીનાથ ધામમાં એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. એક ભક્તે પોતાના જોડિયા પુત્રોમાંથી એકને મંદિરમાં અર્પણ કર્યો છે. જાસ્કા ગામના કેતન દેસાઈએ એક વર્ષ પહેલા ભગવાન વાલીનાથને બે પુત્રો માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે જો 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં મારા ઘરે બે પુત્રોનો જન્મ થશે, તો હું એક પુત્રને મંદિરમાં અર્પણ કરીશ.

માહિતી મુજબ, પોતાની ઇચ્છા પૂર્ણ થયા પછી, આજે મહાશિવરાત્રી(Mahashivratri)ના દિવસે, તેઓ તેમના પરિવાર સાથે મંદિરમાં આવ્યા અને તેમના બે પુત્રોમાંથી મોટા પુત્રને અર્પણ કર્યો હતો. ઇચ્છા પૂર્ણ થયા પછી, ભક્તો મંદિરમાં ભગવાનને ફળો, મીઠાઈઓ, સોનું, ચાંદી અને અન્ય વિવિધ વસ્તુઓ ચઢાવે છે, પરંતુ એક ભક્તે પોતાની ઇચ્છા પૂર્ણ થયા પછી પોતાના પુત્રનું મંદિરમાં દાન કર્યું. વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામમાં એક ભક્તે આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં 1 પુત્રનું અર્પણ કર્યું છે.

વડનગર તાલુકાના જાસ્કા ગામના વતની અને હાલમાં અમદાવાદમાં રહેતા કેતનકુમાર બાબરભાઈ દેસાઈ એક વર્ષ પહેલા તરભ વાળીનાથ ધામ ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા હતા. જ્યાં તેમણે ભગવાન વાળીનાથને ઇચ્છા પૂર્ણ કરવા માનતા માની હતી. કેતન કુમારના બાળકોમાં એક પુત્રી હોવાથી, તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો 22 ફેબ્રુઆરી, 2025 સુધીમાં ભગવાન વાળીનાથ બે પુત્રોના આશીર્વાદ આપે, તો તે તેમાંથી એક પુત્ર ભગવાન વાળીનાથને અર્પણ કરશે. કેતનકુમારના મતે, ભગવાન વાળીનાથે તેમની ઇચ્છા પૂર્ણ કરી હતી. 14 જાન્યુઆરીના રોજ પુષ્ય નક્ષત્રમાં તેમના ઘરે બે પુત્રોનો જન્મ થયો. આમ, ભગવાન વાળીનાથમાં તેમની અતૂટ શ્રદ્ધાને કારણે તેમની ઇચ્છા પૂર્ણ થઈ.

તેથી આજે મહાશિવરાત્રીના શુભ અવસર પર, કેતનભાઈ દેસાઈ તેમના સમગ્ર પરિવાર સાથે તરભ વાળીનાથ ધામ આવ્યા અને મંદિરમાં તેમના મોટા પુત્રનું દાન કર્યુ હતું. મહંત જયરામગીરી બાપુએ બંને પુત્રોના નામ રાખ્યા હતા. જેમાં મોટા પુત્રનું નામ વેદાંશ અને નાના પુત્રનું નામ વેદાંત રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો:મહાશિવરાત્રી પહેલા દ્વારકામાં શિવલિંગ ગાયબ! પુરાવા મળતાં તંત્ર હરકતમાં
