@સાગર સંઘાણી
Jamnagar News: જામનગર જિલ્લામાં ભારે વરસાદ (Rain) અને તારાજી થયા બાદ હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી થી ઉચ્ચ અધિકારીઓની ટીમનું આજે સવારે જામનગરમાં આગમન થયું છે, અને જિલ્લા કલેકટર સહિતના જુદા જુદા અધિકારીઓ સાથે બેઠકોનો દોર યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે, અને પબ્લિકના જાનમાલને તેમજ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. ત્યારે સમગ્ર જિલ્લાના નાગરિકો અને જાનમાલ અને ખેતીવાડી સહિતના નુકશાન સહિતની સ્થિતિનો ચિતાર મેળવવા દિલ્હીથી આવેલ ઉચ્ચ સનદી અધિકારીઓ વાર દ્વારા બેઠકોનો દોર્યો હજી ને સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓ સહીતની ટીમે જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર, કમિશ્નર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કૅશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ કેન્દ્ર સરકારમાં મોકલી દેવાશે. જે ટીમના આગમનને લઈને જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું.
કેન્દ્રની ટીમે દરેક વિસ્તારની મુલાકાત લીધી હતી અને બધી ચકાસણી પણ કરી હતી. તે આગામી દિવસોમાં તેનો રિપોર્ટ તૈયાર કરશે. તેની સાથે તેમણે વિગતો જાણવા માટે સ્થાનિક વહીવટીતંત્રની મદદ પણ લીધી હતી. તેઓ તેમની મદદથી ટૂંક સમયમાં તેમનો રિપોર્ટ તૈયાર કરશે.
આ પણ વાંચો: જામનગરના હાપામાં ફુડપોઇઝનીંગ થતાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ
આ પણ વાંચો: જામનગરમાં દગડુંશેઠ ગણપિત મહોત્સવ દ્વારા 9 મી વખત ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ
આ પણ વાંચો: જામનગર પોલીસે સગીરને મારઝૂડ કરતા હાઈકોર્ટે લાલ આંખ કરી , ગુનો દાખલ કરો