Rajkot News : રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશનપાંચ ઠેકાણે એસીબીના દરોડારાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)મેદાનમાં આવ્યું છે. એસીબીના અધિકારીઓએ બે અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓ કુંલ પાંચ ઠેકાણે દરોડા પાડ્યા છે.રાજકોટના 27 જણાનો ભોગ લેનારા ગેમ ઝોન અગ્નિકાંડમાં વિવિધ એજન્સીઓ સઉળી જાગી હોય તેમ સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે.
રાજકોટમાં એસીબીના અધિકારીઓએ કુલ પાંચ ઠેકાણે દરોડા પાડ્યા હતા.જેમાં TPO સાગઠિયા તથા ફાયર અધિકારી ઠેબાને ત્યાં એસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ રાત સુધીમાં અનેક સ્થળોએ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડમાં બાકો સહિત 27 જણાના સળગી જવાની કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડ,મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે સફાળા જાગ્યા હોય તેમ તપાસમાં જોતરાઈ ગયા છે. હવે એસીબી પણ આ તપાસમાં જોડાઈ છે. આ ગોઝારા અગ્નિકાંડને પગલે રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાંખવામાં આવી હતી.
આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે
આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…
આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે
