બોરસદઃ ગુજરાત એકબાજુએ ઉત્પાદન અને સેવા ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે તો બીજી બાજુએ નકલી પ્રોડક્ટ્સની સાથે નકલી ડિગ્રી ધારીઓનો પણ ખડકલો થઈ રહ્યો છે. નકલી પોલીસ તો જાણે રોજની બાબત બની ગઈ છે, તેની સાથે નકલી એમએલએ પણ આંચકા આપ્યા છે હવે રીતસરનો નકલી બિનખેતીનો હુકમ આવ્યો છે. આ કિસ્સામાં બોરસદના રાસ MGVCLના નાયબ ઇજનેર સહિત બે સામે ફરિયાદ કરવામાં આવી છે.
કંકાપુરાના અરજદાર દ્વારા થ્રી-ફેઝ વીજ જોડાણ માટે અરજી કરવામાં આવી હતી. આ પ્રકારનું વીજ જોડાણ લેવા માટે બિનખેતીનો હુકમ આવશ્યક હતો. તેના વગર આ જોડાણ મળી શકે તેમ જ ન હતુ. તેથી અરજદાર, MGVCL અધિકારી અને કલાર્કે બનાવ્યો નકલી બિનખેતી હુકમ બનાવ્યો હતો.
નકલી હુકમ સાથેની ફાઇલ ખરાઈ માટે સર્કલ કચેરીમાં જતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. કલેક્ટર કચેરી દ્વારા બિનખેતીના હુકમની ખરાઈ કરવામાં આવી હતી. આ ખરાઈમાં આખો હુકમ જ ખોટો બહાર આવતા કચેરી ચોંકી ઉઠી હતી. ભૂતપૂર્વ કલેક્ટર ડી.એસ. ગઢવીની સહી સાથેનો આ નકલી હુકમ હતો.
કલેક્ટરની સૂચના મુજબ નાયબ મામલતદારે આ સમગ્ર પ્રકરણની સુધ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અરજદાર સુરેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત MGVCLના નાયબ ઈજનેર રઘુવીર સિંધા સામે પણ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત MGVCLના ક્લાર્ક રિકીન પ્રજાપતિ વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ હવે નકલી બિન ખેતીનો હુકમ કોણે બનાવ્યો તેની તપાસ કરશે. તેની સાથે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ