- શાહઆલમ ઘર્ષણ મામલે CMનું નિવેદન
- કોંગ્રેસ પર મુખ્યમંત્રી રૂપાણીનો આરોપ
- કોંગ્રેસ હિંસા ફેલાવતી હોવાનો આરોપ
- કોંગ્રેસના કોર્પોરેટર પકડાયા છેઃસીએમ
દેશમાં ચાલી રહેલા CAA વિરોદ્ધના ટેકો આપવા માટે અમદાવાદમાં યોજવામાં આવેલા દેખાવોએ અચાનક હિંસક રુપ ધારણ કર્યું હતું અને ભાંગફોળીયા ટોળા દ્વારા પથ્થરમારો કરી માધ્યમ કર્મી સહિત પોલીસને પણ નિશાન બનાવવામાં આવી હતી. પોલીસ દ્વારા તત્વરીત એક્શનમાં આવી જઇ મામલો ત્યારે જ કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો અને આ તોફાનોમાં સામેલ 13 જેટલા લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા, તો આ મુ્ખ્ય ભેજાબાજને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમક તપાસમાં સામે આવતી વિગતો મુજબ આ તોફાનો પૂર્વ આયોજીત હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કોંગ્રેસ હિંસા ફેલાવે છે તેવો આરોપ લગાવ્યો છે. આ વાતને સમર્થન આપતા મુખ્યમંત્રીએ આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણનો પણ ઉલ્લેખ કરતા આવી પ્રતિક્રિયા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
