Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ પ્રજાના પૈસે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ફરવા જશે. પાંચ રાત્રિ અને છ દિવસનો પ્રવાસ માટે મહાનગરપાલિકા, ખાનગી ટ્રાવેલ્સ કંપનીને રૂપિયા 2 કરોડનું ચૂકવણુ કરશે. કોર્પોરેટરો અને અધિકારીઓના આ પ્રવાસને સત્તાવાર બનાવવા માટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાયા પછી કાશ્મીરની સ્થિતિ અને ત્યાંની રહેણીકરણી, નગર રચના વગેરેનો અભ્યાસ કરવા માટે પ્રવાસનું આયોજન કરાયું હોવાનું તંત્રનું કહેવું છે.
સામાન્ય બાબતોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની ટીકા કરનાર વિપક્ષનાં સભ્યો પણ પ્રવાસમાં જોડાશે આમ જ્યારે લાભની વાત આવે ત્યારે બધા એક થઈ જાય છે.
