આજ રવિવારના રોજ વહેલી સવારે બહેરામપુરા વિસ્તરામાં આવેલી કંપનીમાંથી ગેસ લીક થવાની ઘટના ઘટી હતી.
ગેસ લીક થવાની જાણ થતા તાત્કાલિક પણે સ્થનિક લોકોએ આ અંગેની માહિતી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પર પગલાં લેતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ ઘટના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ઘટી હતી. આ કેમિકલની વાસ ખુબ જ તીવ્ર હોવાના કારણે આસપાસના સ્થાનિક લોકોને આ બાબતની જાણ થઇ હતી અને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી.
આ ઘટનામાં કોઈને જાનહાની નથી થઇ જે એક શુભ સમાચાર છે.
