અમદાવાદ,
પીએમ મોદી આજે મેટ્રો ટ્રેનને લિલિ ઝંડી આપી પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ હવે સિવિલની નવી બિલ્ડીંગનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા છે.
પીએમ મોદીના હસ્તે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. સાથે જ નવી કેન્સર નવી બિલ્ડીંગ અને આંખની નવી બિલ્ડીંગને રાષ્ટ્રને સમર્પિત કરશે.
પીએમ મોદીએ આણંદ-ગોધરા રેલવે લાઇનનું ડિઝટલ સીલાન્યાસ કર્યો હતો. જ્યાં 330 કરોડના ખર્ચે બનેલી પાટણથી ભીલડીની નવી રેલ લાઈનને પણ લીલીઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી. તથા લોથલ ગુજરાતમાં 489 કરોડના ખર્ચે બનાવાયેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું પણ લોકાર્પણ કર્યું હતું,
હોસ્પિટલની વિશેષતાઓ
મહિલા, બાળ અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, માતા અને બાળકો માટે 600 પથારી
સુપર સ્પેશ્યાલીસ્ટ માટે 600 પથારી – પીડિયાટ્રીક સર્જરી, ન્યૂરો મેડિસીન, ન્યુરો સર્જરી, સીટીવીએસ એન્ડોક્રાઈનોલોજી,
સ્પાઈન એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી, જીરીયાટ્રીક, સ્પોર્ટ્સ મેડીસીન, રૂમેટોલોજીની સારવાર 27 મોડ્યુલર ઓપરેશન થીયેટર
સંપૂર્ણપણે ઓટોમેટેડ સીએસએસડી (ઓપરેશનના સાધનો, કપડા, વગેરે જંતુરહિત કરવાની સુવિધા).
એકજ કેમ્પસમાં 7000 પથારી ઘરાવતું દેશનું પ્રથમ કેમ્પસ.
અમદાવાદના અસારવા ખાતેની 1450 કરોડના ખર્ચે તૈયાર થયેલ અતિ આધુનિક સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં ઉલ્લેખનીય છે કે આ નવું બિલ્ડિંગ 3.2 એકરમાં વિસ્તરેલું છે.
સાથે જ સિવિલ હોસ્પિટલ કુલ સાત હજાર બેડ સાથેની વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં 27 હાઈ ક્લાસ ઓપરેશન થિયેટરનો પણ સમાવેશ થાય છે.