Not Set/ CM યોગી આદિત્યનાથના નિવેદન સામે AIMIMના વડા ઓવૈસીએ વાંધો ઉઠાવ્યો,ભારતનો કોઇ ધર્મ નથી

ઓવૈસીએ  કહ્યું છે કે ભારતનો કોઈ ધર્મ નથી. ભારત કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા તમામ ધાર્મિક પુસ્તકોમાં માને છે, પરંતુ સીએમ યોગી તેને સમજી શકતા નથી.

Top Stories India

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ સીએમ યોગીની કથિત ટિપ્પણી પર હુમલો કર્યો છે, યોગીએ કહ્યું”ભારત શરિયા કાયદાથી નહીં, બંધારણ દ્વારા ચાલશે”જવાબમાં ઓવૈસીએ  કહ્યું છે કે ભારતનો કોઈ ધર્મ નથી. ભારત કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા તમામ ધાર્મિક પુસ્તકોમાં માને છે, પરંતુ સીએમ યોગી તેને સમજી શકતા નથી.

હિજાબ વિવાદને લઈને યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ‘દેશની વ્યવસ્થા બંધારણથી ચાલશે, શરિયતથી નહીં’. ભારતીય જનતા પાર્ટી બંધારણને સમર્થન આપી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની ડબલ એન્જિન સરકારે દરેક વર્ગ માટે કામ કર્યું છે. તે મુજબ જનતા ભાજપને જંગી સમર્થન આપી રહી છે. સુરક્ષાના મુદ્દે જે કામ થયું છે, આ તમામ મુદ્દે લોકો ભાજપને સમર્થન આપી રહ્યા છે.

ગરમી અને ચરબી દૂર કરનારા નિવેદનો પર યુપીમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અંગે યોગીએ કહ્યું કે દરેક નિવેદન એ સમયની જરૂરિયાત છે. જે લોકો ગરમી બતાવી રહ્યા હતા તેમને કહેવામાં આવ્યું હતું કે 10 માર્ચ પછી આ ગરમી પણ ઓછી થઈ જશે.