આજે રામ મંદિર પર સુનાવણીનો 18 મો દિવસ છે. મુસ્લિમ પક્ષો સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો કરી રહ્યા છે. મુસ્લિમ પક્ષો વતી એડવોકેટ રાજીવ ધવને એક સનસનાટીભર્યો દાવો કરતા કહ્યુ કે, હિન્દુઓએ મુસ્લિમ સમાજને નમાઝ અતા કરવા રોક્યા હતા. એટલું જ નહીં, વિવાદિત ઢાંચામાં આસ્થાનાં આધારે તેમણે મૂર્તિની સ્થાપના પણ કરી.
Ayodhya land dispute case: Supreme Court issues notice to Ex-Professor from Chennai, N Shanmugham, who had allegedly threatened Dr Rajeev Dhavan&asked him not to argue in the case for the Sunni Wakf Board. SC has asked him to file a detailed response in two weeks. pic.twitter.com/geVUuYysP4
— ANI (@ANI) September 3, 2019
આ સાથે સુપ્રીમ કોર્ટે ચેન્નાઈનાં પૂર્વ પ્રોફેસર એન. ષણમુગમ સામે પણ નોટિસ ફટકારી છે. ષણમુગમ પર રાજીવ ધવનને સુન્ની વકફ બોર્ડની ક્રોસ-તપાસ કરવાનું બંધ કરવાની ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટે આ સંદર્ભમાં બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
Supreme Court's five-judge Constitution bench, headed by Chief Justice of India (CJI) Ranjan Gogoi, has started hearing the Ayodhya Ram Temple and Babri Masjid land (Title) dispute case. Today is the 18th day of hearing in the case. pic.twitter.com/fiPZJShnam
— ANI (@ANI) September 3, 2019
આરએસએસ એ મુસ્લિમ પક્ષની દલીલ પર પ્રતિક્રિયા આપી છે. ઇંદ્રેશ કુમારે કહ્યું કે, હવે મુસ્લિમ પક્ષનો પાખંડ સામે આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ખોદકામનાં પુરાવા સામે છે. હજારો વર્ષોથી મંદિર ત્યાં હતુ. ભારત અને વિશ્વનાં દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે જ્યારે મક્કા મેદિના, વેટિકન સિટી, સારનાથ જેવી જગ્યાઓની ઐતિહાસિકતાને માને છે ત્યારે તે જ તર્જ પર, હિન્દુઓની ભાવનાનું સમ્માન કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
