જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી જ્યારે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓને ઠાર કર્યા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ અથડામણ કુલગામમાં અમરનાથ યાત્રાના તીર્થ માર્ગની ખૂબ નજીક થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોને આ સફળતા મળી.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ તરીકે થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાનિક આતંકવાદીઓ તરીકે કરી છે.
#KulgamEncounterUpdate: Killed LeT #terrorists identified as Yasir Wani
R/O Wangund #Kulgam & Raees Manzoor R/O Chotipora, #Shopian. #Incriminating materials, arms & ammunition including 01 AK-47 rifle & one pistol recovered. Further details shall follow.@JmuKmrPolice https://t.co/FOA3hpeuWG— Kashmir Zone Police (@KashmirPolice) June 29, 2022
ટ્વિટર પર માહિતી આપતાં જમ્મુ અને કાશ્મીર પોલીસે લખ્યું, “બંને માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના સ્થાનિક આતંકવાદીઓ તરીકે કરવામાં આવી છે. આ અમરનાથ યાત્રાના તીર્થ માર્ગની ખૂબ જ નજીક હોવાથી આ એક મહત્વપૂર્ણ એન્કાઉન્ટર માનવામાં આવી રહ્યું છે.” છે.”
કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામના મીર બજાર વિસ્તારના નૌપોરામાં આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. હાલમાં, વધતા આતંકવાદી ખતરા વચ્ચે અમરનાથ યાત્રાની સલામતી સુનિશ્ચિત કરવા માટે મંદિર તરફ જતા વાહનોના માર્ગો પર સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:દિલ્હી-NCRમાં ચોમાસાની દસ્તક, જુઓ વીડિયો
