જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ આતંકવાદીઓએ આજે બીજેપીના વધુ એક નેતાની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ ભાજપના નેતા રાકેશ પંડિતને પુલવામામાં તેમના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. ગોળી વાગેલી ગંભીર હાલતમાં રાકેશ પંડિતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાકેશ પંડિત પુલવામા જિલ્લાના ત્રાલના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા. તે કાશ્મીરી પંડિતહતા. અહેવાલો અનુસાર આ હુમલામાં એક મહિલાને પણ પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘવાઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Three unidentified terrorists shot dead Municipal Councillor of Tral Rakesh Pandita Somnath this evening. He was rushed to hospital where he succumbed to injuries: Kashmir IG Vijay Kumar pic.twitter.com/CmElXVYeCv
— ANI (@ANI) June 2, 2021
જે એન્ડ કે પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે આતંકવાદીઓએ ત્રાલમાં કાઉન્સિલર રાકેશ પંડિતની ગોળી મારી હતી. તેમને બે વ્યક્તિગત સુરક્ષા અધિકારી આપવામાં આવ્યા હતા, પરંતુ છતાં, રાકેશ પંડિત સલામતી વિના ત્રાલ ગયા હતા.
જે એન્ડ કે આઇજી વિજય કુમારે કહ્યું કે ત્રાલ મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશ પંડિત સોમનાથને આજે સાંજે ત્રણ અજાણ્યા આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આ ઘોર ગુના બદલ આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.
