બડગામ એન્કાઉન્ટરમાં આર્મી ને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરની સ્થળ પરથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલ આતંકવાદીઓની જાણ નથી થઈ શકી કે તેઓ કયા આતંકવાદી સંગઠનના હતા.
આપને જણાવી દઈએ કે, બુધવારે જમ્મુ-કાશ્મીરના બડગામ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી વિશે સલામતી દળને જાણ કરવામાં આવી હતી. તે પછી સૈન્યએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન, પોતાને ઘેરાયેલા હોવાની જાણ થતા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. આ એન્કાઉન્ટર દરમિયાન, સેનાએ બે આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મેળવી હતી. આ એન્કાઉન્ટર બડગામના ગોપાલપોરા વિસ્તારમાં થયો હતો. આ દરમિયાન, સાવચેતી માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.
#UPDATE Budgam encounter: 2 terrorists have been neutralised by the security forces. Arms and ammunition have been recovered from the site of encounter. The identities and affiliations of the terrorists killed are yet to be identified. A case has been registered. https://t.co/yUUT7afw5Q
— ANI (@ANI) February 13, 2019
તે નોંધનીય છે કે મંગળવારે પણ, દક્ષિણ કશ્મીરના રત્નિપોરા પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન સલામતી દળો ધ્વારા ૧ આતંકવાદીનું મોત નિપજ્યું હતું. આ દરમિયાન, એક પાર કમાન્ડો સહિતના બે લશ્કરી કર્મચારીઓને પણ શહીદ થયા હતા, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો.
#UPDATE: The encounter which broke out in Gopalpora area of Budgam district earlier this morning has now concluded. https://t.co/NCFv7Y9Osm
— ANI (@ANI) February 13, 2019
