Bhavnagar News/ ભાવનગરમાં બસ નાળામાં ખાબકી, 25થી વધુ મુસાફરોનું હેમખેમ રેસ્ક્યુ કરવામાં આવ્યું

ભાવનગરમાં ગતરોજ રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં ગતરોજ રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા. રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ મહાદેવના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ ભાવનગરના માર્ગ પરથી પસાર થતી હતી. ત્યારે કોળીચોક ગામના પાદરમાંથી બેઠા પુર પરથી બસ પસાર થતી હતી ત્યારે પૂરના પાણીમાં ફસાઈ ગઈ. ભાવગનગરમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરના પાણી માર્ગો પર પણ ફરી વળ્યા. જેના કારણે પરપ્રાતિંય મુસાફરોથી ભરેલ બસ કોળીચાક ગામના પાદરમાંથી એક પુલ પરથી પસાર થતી હતી ત્યારે પૂરના પ્રવાહમાં બસ તણાઈ અને પુલના એક છેડે ફસાઈને અટકી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અને તમામ મુસાફરોને બચાવવામાં સફળતા મળી છે.

VIDEO: ભાવનગરમાં મધરાતે થયું ધબકારા વધારતું રેસ્ક્યૂ, તમામ દર્શનાર્થીને બચાવી લેવાયા

તમિલનાડુ પાસિંગની બસ ભાવનગર શહેરથી આશરે 24 કિ.મી.ના અંતરે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરના દર્શન કરવા આવ્યા હતા. પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો ભગવાન શિવની આરાધના કરતા હોય છે. ભાવનગરમાં બસમાં ફસાયેલ પરપ્રાંતિય કેટલાક દર્શનાર્થીઓ નિષ્કંલક મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો. ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધતા બસ જ્યારે બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે નાળામાં ખાબકી અને એક છેડે ફસાઈ ગઈ. આ બસમાં 25થી વધુ મુસાફરો સવાર હતા.

નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરતા પરપ્રાંતિય દર્શનાર્થીઓ ભરેલ બસ દુર્ઘટનાનો ભોગ બની. જો કે હાલમાં બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમો રેસ્કુયની કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત કોળિયાક ખાતે દર્શન કરવા અન્ય રાજ્યમાંથી મુસાફરો લઈ આવેલી બસ નાળામાં ખાબકવાની ઘટનામાં મુસાફરોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમ સાથે વરસતા વરસાદમાં સ્થાનિકો દ્વારા પણ તમામ બનતી મદદ કરવામાં આવી હતી. તમામના પ્રયાસોને સફળતા મળી અને કોઈપણ જાનહાનિ વગર તમિલનાડુ પાસિંગ બસના 25થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમૃતપાલ અને રાશિદ લોકસભાના સભ્ય તરીકે આજે લેશે શપથ, કસ્ટોડિયલ પેરોલ અપાઈ

આ પણ વાંચો: બે બાળકોના પિતાને સગીરા સાથે થયો પ્રેમ, છોકરીએ કર્યો ઈન્કાર… જાણો પછી શું થયું

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે હાથરસ આવશે, મૃતકોના સ્વજનોને મળશે