આજે ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ‘ છે, જેને લઇને આજે ભારત સહિત વિશ્વની લગભગ તમામ કંપનીઓમાં રજા છે. તેને ‘મે દિવસ‘ તરીકે પણ ઉજવવામાં આવે છે, આપણે બધા જાણીએ છીએ કે મજૂરો આપણા સમાજનો એક ભાગ છે કે જેના પર બધી આર્થિક પ્રગતિ ટકી છે, હાલનાં મશીન યુગમાં પણ તેમનું મહત્વ ઓછું થયું નથી, ઉદાહરણ તરીકે આ માટે, ઉદ્યોગો, વેપાર, કૃષિ, મકાન બાંધકામ, પુલ અને રસ્તાઓનું નિર્માણ વગેરે તમામ પ્રવૃત્તિઓમાં કામદારોનાં મજૂરનું યોગદાન મહત્વપૂર્ણ છે.
જો કે આ દિવસનો ઇતિહાસ ખૂબ જ પીડાદાયક છે, આ દિવસની ઉજવણી 1 મે 1886 થી થઈ હતી, આ દિવસની ઉજવણી પાછળ, આ મજૂર સંગઠનોની હડતાલ છે જે આઠ કલાકથી વધુ સમય સુધી કામ ન કરવા માટે કરવામાં આવી હતી, આ હડતાલમાં 11,000 ફેક્ટરીઓનાં ઓછામાં ઓછા 3,80,000 કામદારો સામેલ થયા હતા.
પરંતુ આ હડતાલ દરમિયાન, શિકાગોનાં હેય માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, તેને પહોંચી વળવા માટે પોલીસે કામદારો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં સાત કામદારોનાં મોત નીપજ્યાં હતાં. જે બાદ પોલીસ તપાસ હેઠળ આવી હતી અને આ હંગામો શાંત કરવા માટે ફક્ત 8 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવી હતી અને ત્યારથી આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. મજૂર દિવસની શરૂઆત ભારતમાં 1 મે 1923 નાં રોજ ચેન્નાઇમાં કરવામાં આવી હતી. તે સમયે તે મદ્રાસ દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. ભારત સહિત 80 દેશોમાં આજે રજા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
