Not Set/ સરકારે ઘરેલુ ઉડાનોનું નક્કી કર્યુ ન્યૂનત્તમ અને મહત્તમ ભાડું, જાણો વિગત

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કોરોના વાયરસને કારણે જારી લોકડાઉન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જે રીતે લોકડાઉનનો અમલ કરવો મહત્વપૂર્ણ હતો, હવે તેને ખોલવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, ઘરેલુ હવાઈ ફ્લાઇટ્સ માટે નવા ભાડાનો દર લાગુ કરવામાં આવશે. નવા ભાડાનો દર ત્રણ મહિના માટે લાગુ […]

India

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કોરોના વાયરસને કારણે જારી લોકડાઉન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જે રીતે લોકડાઉનનો અમલ કરવો મહત્વપૂર્ણ હતો, હવે તેને ખોલવાનો સમય આવી ગયો છે.

તેમણે કહ્યું કે, ઘરેલુ હવાઈ ફ્લાઇટ્સ માટે નવા ભાડાનો દર લાગુ કરવામાં આવશે. નવા ભાડાનો દર ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવશે. 3,500 અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા. આ ન્યૂનતમ સામાજિક અંતરને લઇને એક પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે, અમે મધ્યની બેઠક ખાલી છોડી શકતા નથી.

અમે 10 દિવસ પહેલા કહ્યું હતું કે, અમારી એરલાઇન એરપોર્ટ ઉડાન શરૂ કરવા માટે તૈયાર છે, અમે એમ પણ કહ્યું હતું કે અમે આ નિર્ણય એકલા નહીં લઈ શકીએ. હું સ્પષ્ટ કરું છું કે કોઈ પણ નિર્ણય લેવો સરળ નથી. લોકડાઉન 31 મે નાં રોજ સમાપ્ત થઈ રહ્યું હોવાથી, અમે ઘરેલું હવાઈ ફ્લાઇટ્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.