![કેરળમાં થયેલી હાથણીની હત્યા અંગે રતન ટાટાએ આપ્યું મોટું નિવેદન 3 97b0f1da18f3ee476bcd3bb8eb2d7fe4 કેરળમાં થયેલી હાથણીની હત્યા અંગે રતન ટાટાએ આપ્યું મોટું નિવેદન](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/97b0f1da18f3ee476bcd3bb8eb2d7fe4.png)
કેરળના મલપ્પુરમમાં હાથણીની હત્યાને લઈને દેશભરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મના કલાકારોની સાથે નેતાઓ, સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ટાટા સન્સના અધ્યક્ષ રતન ટાટાએ પણ હાથણીના મૃત્યુ અંગે નારાજગી અને શોક વ્યક્ત કર્યો છે.
રતન ટાટાએ ટ્વિટર પર એક નોટમાં લખ્યું છે કે, ‘કેટલાક લોકોએ સગર્ભા હાથણીને અનાનસમાં ફટાકડા ભરીને ખવડાવ્યા, જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું. હું આ જોઈને આઘાત પામ્યો છું. તેમણે કહ્યું, ‘નિર્દોષ પ્રાણીઓ સાથેના આવા ગુનાહિત કૃત્યો માનવોની હત્યાથી અલગ નથી. ન્યાય થવો જ જોઇએ.
— Ratan N. Tata (@RNTata2000) June 3, 2020
હકીકતમાં, મલપ્પુરમમાં કેટલાક લોકોએ ફટાકડાથી ભરેલા અનાનસથી સગર્ભા હાથણીને ખવડાવ્યા હતા, ત્યારબાદ તેના મોઢામાં ફટાકડા ફૂટતા તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિક વન્યપ્રાણી વિભાગ હાથણીની હત્યાની તપાસ કરી રહ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગે પણ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. 27 મેના રોજ હાથણીનું અવસાન થયું હતું.
સગર્ભા હાથણીના હત્યારાઓને પકડવા પ્રયાસો સઘન કરાયા છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે કહ્યું કે કેરળમાં મલપ્પુરમમાં હાથણીની હત્યા પર કેન્દ્ર સરકારે ગંભીરતા દર્શાવી છે. અમે યોગ્ય રીતે તપાસ કરવા અને ગુનેગારોને પકડવામાં કોઈ કસર છોડીશું નહીં. હાથીઓને ફટાકડા ખવડાવવા અને મારવાએ ભારતીય સંસ્કૃતિ નથી.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે નીલાંબર વિભાગના વન અધિકારી મોહન કૃષ્ણને સોશિયલ મીડિયા પર આખી ઘટના જણાવી. હાથીઓ વારંવાર ગામમાં ખોરાકની શોધમાં ભટકતા હોય છે. લોકોએ અનાનસમાં ફટાકડા છુપાવ્યા હતા, સામાન્ય રીતે, ગામલોકો જંગલી ડુક્કરને ભગાડવા માટે આ કરે છે. હાથણીએ ફળ ખાધું કે તરત જ તેના મોઢામાં ફટાકડા ફૂટવા લાગ્યા. હાથણીની આવી હત્યાએ આ પ્રકારનો પહેલો કેસ છે.
પર્યાવરણ મંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે. ઘટનાનો સંપૂર્ણ અહેવાલ માંગવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આમાં જે દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.