![રાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો, રેલ્વે ગરીબોની એકમાત્ર જીવાદોરી જેને છીનવી રહી છે સરકાર 3 0761e452b4395d24fb9e08d687801510 રાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો, રેલ્વે ગરીબોની એકમાત્ર જીવાદોરી જેને છીનવી રહી છે સરકાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/0761e452b4395d24fb9e08d687801510.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી સતત સરકારને સવાલો પૂછી રહ્યા છે. આજે પણ તેમણે ટ્વીટ મારફતે કેન્દ્ર સરકાર પર નિશાનો સાંધ્યો છે. આપને જણાવી દઇએ કે, મોદી સરકાર દ્વારા રેલ્વેમાં ખાનગીકરણ તરફ પગલા લેવામાં આવ્યા છે. સરકારે આ માટે 109 જોડી ટ્રેનો માટે દરખાસ્ત પણ માંગી છે. જેના પર કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ હુમલો કર્યો છે.
ગુરુવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, રેલ્વે ગરીબોની એક માત્ર જીવાદોરી છે અને સરકાર તેમની પાસેથી આ પણ છીનવી રહી છે. જે પણ છીનવુ છે, છીનવો. પરંતુ યાદ રાખો – દેશનાં લોકો યોગ્ય જવાબ આપશે.
रेल ग़रीबों की एकमात्र जीवनरेखा है और सरकार उनसे ये भी छीन रही है।
जो छीनना है, छीनिये। लेकिन याद रहे- देश की जनता इसका करारा जवाब देगी।https://t.co/M6OQZ6xAz5
— Rahul Gandhi (@RahulGandhi) July 2, 2020