Maharashtra/ ઈદ-એ-મિલાદની રજામાં બદલાવ, ગણેશ વિસર્જનને લઈને મુસ્લિમોએ બદલ્યો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે ઈદ-એ-મિલાદની રજા 16 સપ્ટેમ્બરથી બદલીને 18 સપ્ટેમ્બર કરી છે.

India Top Stories

Maharashtra News: મહારાષ્ટ્ર સરકારે ઈદ-એ-મિલાદની રજા 16 સપ્ટેમ્બરથી બદલીને 18 સપ્ટેમ્બર કરી છે. સત્તાવાર નિવેદન અનુસાર, મુસ્લિમ સમુદાયે 16મીને બદલે 18મી સપ્ટેમ્બરે ઈદનું જુલુસ કાઢવાનો નિર્ણય કર્યો છે. અનંત ચતુર્દશી પણ 17 સપ્ટેમ્બરે છે. ગણેશ પૂજાનો આ છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં તંત્રને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિક કલેક્ટર ત્યાંની પરિસ્થિતિ અનુસાર અલગ-અલગ જિલ્લામાં ઈદની રજાઓ ફરીથી શેડ્યૂલ કરી શકે છે. રવિવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નસીમ ખાને મુખ્યમંત્રી એકનાથ શિંદેને 16 સપ્ટેમ્બરના બદલે 18 સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદની રજા જાહેર કરવા કહ્યું હતું.

ગણેશ પૂજા માટે મુસ્લિમોમાં ભારે ઉત્સાહ, મહારાષ્ટ્ર સરકારે ઈદ-એ-મિલાદની રજા બદલી

તેમણે કહ્યું હતું કે, અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરે છે. આવી સ્થિતિમાં, મુસ્લિમ સમુદાયના લોકોએ નિર્ણય કર્યો છે કે તેઓ 18 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદ જુલૂસ કાઢશે. આવી સ્થિતિમાં બંને તહેવારો સુમેળથી ઉજવી શકાય. તમને જણાવી દઈએ કે ગણપતિ ઉત્સવનો છેલ્લો દિવસ 17 સપ્ટેમ્બરે છે. આ વખતે ઈદ-એ-મિલાદ 16 સપ્ટેમ્બરે પડી રહી છે.

Ganesh Chaturthi 2024 Sthapana muhurat: Ganpati Bappa arrives today; know  shubh muhurat for Ganesh sthapana at home - Hindustan Times

બીજી વખત મુસ્લિમ સમાજના લોકો આગળ આવ્યા છે અને કોમી સૌહાર્દને ધ્યાનમાં રાખીને ઈદ-એ-મિલાદની રજા બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નવી મુંબઈમાં ઈદ-એ-મિલાદનું જુલુસ તુર્ભેથી શરૂ થાય છે અને વાશી થઈને ઘનસોલી દરગાહ સુધી જાય છે. મુસ્લિમો ઈદ-એ-મિલાદ પયગંબર મોહમ્મદની જન્મજયંતિ તરીકે ઉજવે છે. 17 સપ્ટેમ્બરે ઇદના દિવસે અનંત ચતુર્દશી તહેવાર પણ છે. આ દિવસે મુંબઈના ગણેશભક્તો મોટાપાયે મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. ખાસ કરીને મુંબઈમાં અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનની ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે અનિચ્છનીય ઘટનાને ટાળવા મુસ્લિમ સમાજના લોકોએ સ્વંય ઇદની રજાની તારીખ બદલાવ પ્રસ્તાવ મૂકયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકમાં ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારો,તલવારો અને કાચની બોટલોથી હુમલો ટોળાએ દુકાનો અને વાહનો ફૂંકી માર્યા; 15 પોલીસકર્મી ઘાયલ

 આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં આ ગામના લોકો ઘરમાં ગાય, કૂતરા નહી રાખે છે ઝેરી સાપ

 આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ