ચીન અને ભારત વચ્ચે સીમા મામલે વિવાદ ખુબ વર્કયો છે. આ મામલે બન્ને દેશો વચ્ચે 11 વાર સૈન્ય બેઠક યોજાઇ હતી પરતું આ બેઠકમાં હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
ચીન તેની અવડચંડાઇ કરી રહ્યું છે. તેણે લાઇન ઓફ એકચ્યૂલ કંટ્રોલ પાસે ચીનની સૈનાએ સીમા પાસે મિસાઇલો ગોઠવી છેચીનની આ નાપાક હરકત પર ભારત બાજ નજર રાખીને બેઠુ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર પર તણાવની પરિસ્થિતિના લીધે ચીનની સૈનાએ ભારતીય સીમા પાસે મિસાઇલો ગોઠવી દીધી છે.
ચીન પર વિશ્વાસ રાખી શકાય તેમ નથી
એચક્યુ-9 અને એચક્યુ-22 મિસાઇલો ગોઠવી છે. આ મિસાઇલો 250 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. ભારત તેના પગલાં પર ખાસ નજર રાખી છે. તણાવ વચ્ચે હોટન અને કાશગર હવાઇક્ષેત્રો પરથી વિમાન ઓછા થઇ ગયાં છે. પરતું ચીન પર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. બન્ને દેશોએ પેંગોગ પાસેથી હટી ગઇ છે પરતું હજીપણ તણાવભરી સ્થિતિ છે.
