![BJP નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે રાહુલ ગાંધી પર કર્યો પલટવાર, કહ્યું- ધારાસભ્યોને બંધ કરીને... 3 0be3b28778cdebb5a6b67a143bad8dd1 BJP નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે રાહુલ ગાંધી પર કર્યો પલટવાર, કહ્યું- ધારાસભ્યોને બંધ કરીને...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/08/0be3b28778cdebb5a6b67a143bad8dd1.png)
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. રવિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકશાહીની વાત કરતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહબૂબા મુફ્તીને છોડવાની વાત કરી હતી. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર શેખાવતે આકરા પ્રહારો કર્યા છે. રવિવારે તેમણે ટકોર કરી હતી કે, “જ્યારે રાજ્યના હિતોને વિકૃત કરીને ધારાસભ્યોને અઠવાડિયા સુધી કોઈ રિસોર્ટમાં બંધ રાખવામાં આવે ત્યારે લોકશાહીને નુકસાન નથી થતું.”
આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહબૂબા મુફ્તીની મુક્તિની માંગ કરી હતી. તેમણે મુફ્તી ગકો અટકાયતનો વિરોધ કર્યો હતો અને તેમને લોકશાહીને નુકસાનકારક ગણાવ્યું હતું.
But no democracy is damaged when MLAs are kept under resort arrest for weeks together and sabotage the interests of a state that chose to elect ‘the sacred congress’ to power…#बाड़े_में_सरकार https://t.co/Wbcjpt5gHa
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) August 2, 2020