![રામમંદિર ભૂમિપૂજનને લઈને દિગ્વિજય સિંહે કહ્યું- આ સમય નથી શુભ 3 ef5abd2f755b0128e6ff1e2064a7cf6c રામમંદિર ભૂમિપૂજનને લઈને દિગ્વિજય સિંહે કહ્યું- આ સમય નથી શુભ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/08/ef5abd2f755b0128e6ff1e2064a7cf6c.png)
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રામ મંદિરનો શિલાન્યાસ કરવાનો આ કોઈ શુભ સમય નથી, તેથી ઘણી અશુભ ઘટનાઓ સતત બની રહી છે. આ સાથે કોંગ્રેસના નેતાએ સીએમ યોગી પર તંજ કસતા કહ્યું મોદી પર સનાતન ધર્મની મર્યાદાઓને ધ્યાન ન રાખવાની પણ વાત કરી છે.
દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું કે ‘મોદીજી, તમે અપશુકનિયાળ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ રાખીને કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માંગો છો? યોગી જી, કૃપા કરીને મોદીજી ને સમજાવો. તમે ત્યાં હો ત્યારે સનાતન ધર્મની બધી મર્યાદાઓ કેમ તોડી રહ્યા છે? અને તમારી કઈ મજબૂરી છે કે તમે આ બધું થવા દો છો? ‘
मोदी जी आप अशुभ मुहुर्त में भगवान राम मंदिर का शिलान्यास कर और कितने लोगों को अस्पताल भिजवाना चाहते हैं? योगी जी आप ही मोदी जी को समझाइए। आपके रहते हुए सनातन धर्म की सारी मर्यादाओं को क्यो तोड़ा जा रहा है? और आपकी क्या मजबूरी है जो आप यह सब होने दे रहे हैं?
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020