Not Set/ #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં પ્રથમવાર 1 હજારથી વધુ મોતનો આંક નોંધાયો

  કોરોના કેસોનો કહેર સતત ચાલી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 60 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ દેશમાં કોરોના ચેપની સંખ્યા 22,15,074 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 62,064 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1,007 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, મૃતકોની […]

India
 

કોરોના કેસોનો કહેર સતત ચાલી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 60 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ દેશમાં કોરોના ચેપની સંખ્યા 22,15,074 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 62,064 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1,007 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, મૃતકોની કુલ સંખ્યા વધીને 44,386 થઈ ગઈ છે. આ વાયરસને પરાજિત કરનારાઓની સંખ્યા 15,35,743 પર પહોંચી ગઈ છે. વળી પિઝોટિવિટી રેટ વિશે વાત કરો, તે વધીને 13.01 ટકા થઈ ગઈ છે. વળી રિકવરી દર થોડો વધારા સાથે 69.33 ટકા થઇ ગયો છે.

WHO નાં ડેટા અનુસાર, 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન જાહેર થયેલા ડેટામાં, ભારતમાં 4, 5, 6, 7, 8 અને 9 ઓગસ્ટમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. નિષ્ણાંતો કહે છે કે દેશમાં કોરોના ચેપ વધવાની સંખ્યામાંનું એક કારણ દેશમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો છે. આઇસીએમઆર ડેટા અનુસાર, 9 ઓગસ્ટનાં રોજ ભારતમાં 4,77,023 ટેસ્ટ થયા છે, અત્યાર સુધીમાં 2,45,83,558 લોકોનાં નમૂનાની તપાસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.