Gujarat Election/ કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર, એક પણ બેઠક AAP જીતશે નહીં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે   તમામ પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે   તમામ પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ પાર્ટીએ  પ્રહાર કર્યા છે.

અરવિંદ કેજરીવાલની જેમ જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ કાગળ પર લખીને કહ્યું કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતુ પણ નહીં ખુલે. આપની એક પણ સીટ નહીં આવે. જેનો વીડિયો પણ તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે.