Congress Leader: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગુજરાતની સ્થિતિને લઈને સંવેદના વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટ (Social Media Post)માં તેમણે કાર્યકરોને મદદ માટે આગળ આવવા અપીલ કરી. ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેમની સંપત્તિને નુકસાન થયું છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.

તમામ કોંગ્રેસના કાર્યકરોને અપીલ છે કે તેઓ અસરગ્રસ્ત લોકો અને વહીવટીતંત્રને રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરે. સરકાર આ આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવાની અપેક્ષા રાખે છે, જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે.
गुजरात में बाढ़ की स्थिति दिन प्रतिदिन और भयंकर होती जा रही है।
इस आपदा में जिन परिवारों ने अपनों को खोया है, जिनकी संपत्ति का नुकसान हुआ है, उनके प्रति गहरी संवेदनाएं व्यक्त करता हूं। घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
सभी कांग्रेस कार्यकर्ताओं से अपील है कि वो…
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2024
નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે માજા મૂકી છે. સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવાની અપીલ કરી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ પોસ્ટ કરી ગુજરાતના કાર્યકર્તાઓને આવી વિકટ સ્થિતિમાં રાજનીતિ ભૂલી રાહતકાર્યમાં મદદ કરવા અપીલ કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ ત્રાટક્યો છે. ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 12 જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાત વહીવટી તંત્ર સુરક્ષા બચાવ માટે એલર્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો: શું એફઆઈઆર નોંધવા માટે વિરોધ કરવો પડશે?’, બદલાપુરમાં છોકરીઓ સાથે દુષ્કર્મ પર રાહુલ ગાંધીનો ગુસ્સો
આ પણ વાંચો: સદભાવના દિવસ પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
