દેશમાં 6 અઠવાડિયાથી વધુ સમય સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવા છતાં, જીવલેણ કોરોના વાયરસનો કહેર ઓછો થઇ રહ્યો નથી. બુધવારે, કોરોના વાયરસનાં કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને વટાવી ગઈ છે. બુધવારે માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં 3,525 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 74,281 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 122 દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુઆંક 2,415 પર પહોંચી ગયો છે. જો કે, રાહતની વાત એ છે કે આજ સુધી 24,386 દર્દીઓ ઠીક પણ થયા છે. ભારતમાં કોરોના વાયરસનો વિનાશ સતત ચાલુ છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો દેશમાં ચાલી રહ્યો છે અને ચોથા લોકડાઉનની અનૌપચારિક ઘોષણા પણ કરવામાં આવી છે, પરંતુ તે પછી પણ કોરોનાની ગતિ ઓછી થઈ રહી નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 3,525 નવા કેસ નોંધાયા છે અને કોવિડ-19 થી 122 લોકોનાં મોત નોંધાયા છે.
Spike of 3525 #COVID19 cases and 122 deaths in the last 24 hours; total positive cases in the country is now at 74281, including 47480 active cases, 24386 cured/discharged/migrated cases and 2415 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/o6ylnSv1dk
— ANI (@ANI) May 13, 2020
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના વાયરસના કેસ વધીને 74,281 થઇ ગયા છે અને કોવિડ19 થી 2,415 લોકોનાં મોત નીપજ્યાં છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 921 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા વધીને 24,427 થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.