Not Set/ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 34031 કેસ, 594 લોકોનાં મોત થયાં.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,031 કેસ નોંધાયા છે અને 594 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 51,457 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.

Top Stories India

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વિનાશ વેરી રહી છે. પરંતુ હવે ત્રણ દિવસથી કોવિડ 19 ના રોજનાં કેસ ત્રણ લાખથી પણ નીચે આવી રહ્યા છે. જોકે બુધવારે નોંધાયેલા કેસોમાં થોડો વધારો થયો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન, કોરોનાથી થતાં મૃત્યુએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બુધવારે દેશમાં કોરોના વાયરસને કારણે 4529 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ભાજપના ધારાસભ્ય ગૌતમ લાલ મીનાનું કોરોનાથી અવસાન થયું છે. દિલ્હીમાં મ્યુકોરામાઇકોસીસનાપણ ઘણા કેસ સામે આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 34031 કેસ છે

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,031 કેસ નોંધાયા છે અને 594 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 51,457 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.

જયારે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1350 કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 57 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 4,565 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 32762 નવા કેસ છે

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 32,762 નવા કેસ નોંધાયા છે અને 112 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 48,413 લોકો પણ સ્વસ્થ બન્યા હતા.

છેલ્લા 24 કલાકમાં પુડુચેરીમાં 1759 નવા કેસો

પુડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1759 નવા કેસ નોંધાયા છે અને 29 લોકોનાં મોત નીપજ્યાં છે.

 

કર્ણાટકમાં 1250 કરોડના કોરોના રાહત પેકેજની જાહેરાત

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બુધવારે 1,250 કરોડના કોરોના રાહત પેકેજની જાહેરાત કરી. આ અંતર્ગત લોકડાઉનથી પ્રભાવિત લોકોને મદદ કરવામાં આવશે.

સમગ્ર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ કોરોના પરીક્ષણ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સમગ્ર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ કોરોના પરીક્ષણો કરાયા હતા. બીજી બાજુ, સકારાત્મક બાબત એ છે કે પોઝિટિવિટી રેટ 13.31% પર આવી ગયો છે.

રાજસ્થાનમાં બ્લેક ફૂગનો રોગચાળો જાહેર થયો

રાજસ્થાનમાં બ્લેક ફૂગને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેની ઘોષણા કરતી વખતે ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપ લઈ રહ્યું છે, તેથી તેને વધુ ધ્યાન આપવાની જરૂર છે.