New Delhi News : દિલ્હી (Delhi) વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે. આમ આદમી પાર્ટી(AAP)એ ઘણી સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે ભાજપ (BJP) પણ યાદી જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો દિલ્હી(Delhi) વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) ઘણા મોટા ચહેરાઓને તક આપી શકે છે. દરમિયાન કેટલીક બેઠકો માટે ઉમેદવારોના સંભવિત નામો પણ સામે આવ્યા છે. નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલ સામે ભાજપ કોને મેદાનમાં ઉતારી શકે છે ? ચાલો જાણીએ આ અહેવાલમા.
વીરેન્દ્ર સચદેવા ક્યાંથી ચૂંટણી લડશે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી(Delhi) બીજેપી(BJP) અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ(Virendra Sachdeva) કસ્તુરબા ગાંધી નગર અથવા વિશ્વાસ નગરથી ટિકિટની માંગણી કરી છે. જ્યારે કૈલાશ ગેહલોત(Kailash Gehlot) બિજવાસનથી ચૂંટણી લડવા માંગે છે. જોકે ભાજપ(BJP) તેમને નજફગઢથી ટિકિટ આપવા પર વિચાર કરી રહી છે. આવી સ્થિતિમાં કૈલાશ ગેહલોત(Kailash Gehlot)ની ટિકિટને લઈને પાર્ટીમાં સમસ્યા છે.
પૂર્વ સીએમના પુત્રને ટિકિટ મળી શકે છે
રમેશ બિધુરી(Ramesh Bidhuri)ની ટિકિટ પર પણ દ્વિધા છે. રમેશ બિધુરી(Ramesh Bidhuri)એ કાલકા વિધાનસભા બેઠક પરથી ટિકિટ માંગી છે, પરંતુ ભાજપ (BJP) તેમને તુગલકાબાદથી ઉમેદવાર બનાવવા ઈચ્છે છે. આ સિવાય ગ્રેટર કૈલાશથી પૂર્વ સાંસદ મીનાક્ષી લેખી(Minaxi Lekhi) અને મોતીનગરથી પૂર્વ સીએમ મદન લાલ ખુરાના(Madanlal Khurana)ના પુત્ર હરીશ ખુરાના(Harish Khurana)ને ટિકિટ આપવાની તૈયારી ચાલી રહી છે.
ઘણા ઉમેદવારોની બેઠકો અંતિમ નથી
જો અહેવાલોનું માનીએ તો દિલ્હી ભાજપ(BJP)ના પૂર્વ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાય(Satish Upadhyay) માલવિયાનગરથી ચૂંટણી લડવા માંગે છે. જ્યારે મનજિંદર સિંહ સિરસા(Manjinder Sinh Sirsa)એ રાજૌરી ગાર્ડનથી ટિકિટ માંગી છે. ભાજપ(BJP) વર્તમાન ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા(Om Prakash Sharma)ને તેમના મતવિસ્તાર વિશ્વાસનગરથી જ ઉમેદવાર જાહેર કરી શકે છે. આ સિવાય વિજય ગોયલ(Vijay Goyal) અને ડૉ.હર્ષવર્ધન (Dr. Harshvardhan) પણ વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમના માટે કોઈ સીટ નક્કી કરવામાં આવી નથી.
પૂર્વ સાંસદોને તક મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. આમાં કેટલાક પૂર્વ સાંસદોના નામ પણ સામેલ થઈ શકે છે. એવા અહેવાલો પણ છે કે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP)ના કેટલાક ધારાસભ્યોને પણ પાર્ટીમાં સામેલ કરી શકે છે અને તેમને ટિકિટ આપી શકે છે. જોકે આની ઔપચારિક પુષ્ટિ થઈ શકતી નથી.
કેજરીવાલ સામે ભાજપ કોને મેદાનમાં ઉતારશે?
તમને જણાવી દઈએ કે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને ટક્કર આપવા માટે ભાજપ(BJP) નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પૂર્વ સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્મા(Parvesh sahib Sinh Verma)ને ટિકિટ આપી શકે છે. તે જ સમયે બીજેપી(BJP) દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેના CM ઉમેદવારને જાહેર કરશે નહીં. ચૂંટણી પરિણામો બાદ જ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
ફેબ્રુઆરી 2025માં દિલ્હીની 70 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાવાની છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દિલ્હી ચૂંટણીની તારીખો આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2025ના પહેલા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણીમાં આપની પાણી પહેલા પાળઃ સરકારી કર્મચારીઓએ ડરીને ભાજપને વોટ આપ્યા
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણીમાં આપની પાણી પહેલા પાળઃ સરકારી કર્મચારીઓએ ડરીને ભાજપને વોટ આપ્યા
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી સમયે જ ભાજપનાં સ્ટાર પ્રચારક મણીશંકર ઐયર અને દિગ્વિજયસિંહનું ભવ્ય પુનરાગમન ??
