Gujarat Weather: IMDએ આગામી ત્રણ દિવસ 25 થી 27 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચોમાસાનું દબાણ આપત્તિનું કારણ બની શકે છે. આ દબાણને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને સંભવિત આપત્તિનો ભય છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠે સિગ્નલ નંબર 1 સક્રિય કરવામાં આવ્યો છે, અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
પૂર્વ મધ્ય અરબસાગરમાં વરસાદી ડિપ્રેશન સક્રિય
ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, અને આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તેમજ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે. 25 ઓક્ટોબરે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 26 ઓક્ટોબરે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હજુ પણ હળવો વરસાદ થવાની સંભાવના છે, પરંતુ સાવચેતીના પગલા તરીકે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંધ પર સિગ્નલ નંબર 1 લટકાવવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારની હોડીઓ પણ સલામત બંદર તરફ રવાના થઈ ગઈ છે. દરિયામાં ડિપ્રેશનને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. સાવચેતીના પગલા તરીકે, જાફરાબાદ બંદર પર સિગ્નલ નંબર 1 ફરકાવવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે 1 નંબરનું સિગ્નલ લાગ્યું
ભારત હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જારી કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જારી થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂ થયું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તર-પૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં ફેલાશે. ચક્રવાતની અસર કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાશે.
પવનની ઝડપ પણ વધુ રહેશે, માછીમારોને એલર્ટ
આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં દબાણ ક્ષેત્ર સક્રિય થયું છે, આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે અને આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS3 સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:અંબાલાલ ફરીથી ત્રાટક્યા, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ ગુજરાતને ભીંજવશે
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઇ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ
