આસ્થા/ લગ્ન નથી થતાં? તો અચૂક અજમાવો આ અસરકારક ઉપાયો.

વિવાહ ક્યારે થશે તે અંગે કોઈ ચોક્કસ તિથિ કે સમય જણાવવો મુશ્કેલ છે,પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહ બાધાને કારણે સંબંધ ન થતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી શરણાઈના સૂર જરૂર રેલાશે.

Dharma & Bhakti
મોડેથી લગ્ન

યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે, પરંતુ ઘણી વાર આવું નથી થતું. ઘણા કિસ્સામાં તો વિવાહ માટેનાં માંગાં જ નથી આવતાં, તો કેટલાક કિસ્સામાં બનતાં-બનતાં બગડે છે.  જો કોઈ યુવક કે યુવતીનો સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈ ને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા-પિતા, ભાઈ-બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં ર્વિણત શીઘ્ર વિવાહના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો થોડા જ સમયમાં ઢોલ ઢબૂકશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્નગીતો ગવાશે. શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રજાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે.

યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો

જ્યારે કોઈ યુવક કે યુવતીના સંબંધની વાતો આવતી હોય, પરંતુ વેવિશાળ ન થતું હોય ત્યારે તેમના સહિત ઘરના અન્ય લોકો ચિંતામાં ડૂબી જાય છે. જો વિવાહયોગ્ય યુવક કે યુવતીનાં સમયસર લગ્ન થઈ જાય તો તેમની અને તેમનાં માતા-પિતાની ચિંતાઓ સમાપ્ત થઈ જાય છે. આમ તો વિવાહ ક્યારે થશે તે અંગે કોઈ ચોક્કસ તિથિ કે સમય જણાવવો મુશ્કેલ છે,પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહ બાધાને કારણે સંબંધ ન થતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી શરણાઈના સૂર જરૂર રેલાશે.

ગ્રહસંબંધી ઉપાયો
જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ‘ૐ સૂર્યાય નમઃ ।’ મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશાં પોતાની પાસે રાખવો. તેનાથી વિવાહ શીઘ્ર નક્કી થશે.

સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ.

તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.

દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલદી નક્કી થશે.

શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.

એક જ બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી.

શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું.

કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની મધ્યમા આંગળીમાં પહેરવો.

યુવતીના વિવાહ માટેનો ઉપાય

જો કોઈ કન્યાના વિવાહ સમયસર ન ગોઠવાય તો માતા-પિતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. વર્તમાન સમયમાં તો આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરીનો સંબંધ કોઈ સારા ઘરમાં ગોઠવાઈ જાય તો નીચેનો પ્રયોગ જરૂર કરો.

સુદ પક્ષના પહેલા ગુરુવારે સાત કેળાં, સાતસો ગ્રામ ગોળ અને એક નારિયેળ લઈને કોઈ નદી અથવા સરોવર પર જાઓ. હવે કન્યાને વસ્ત્ર સહિત નદીના જળથી સ્નાન કરાવીને તેના ઉપરથી ચોટલીવાળું નારિયેળ ઉતારીને નદીમાં વહાવી દો. તેની સાથે થોડો ગોળ તથા એક કેળું ચંદ્રદેવના નામે તથા તેટલી જ સામગ્રી સૂર્યદેવના નામે નદીના કિનારે મૂકીને તેમને પ્રણામ કરો. હવે બચેલા ગોળમાંથી થોડો ગોળ કન્યાએ ખાવો અને બાકી બચેલી સામગ્રી ગાયને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી કન્યાનો સંબંધ સારા ઘરમાં ગોઠવાશે.

જે કન્યાના વિવાહ ન થઈ રહ્યાં હોય તેણે ભગવતી પાર્વતીની ર્મૂિત અથવા તસવીરની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો અગિયારમાળા જાપ દસ દિવસ સુધી સતત કરવો.

મંત્રઃ હે ગૌરિ શંકરાર્દ્ધાગિ યથા શંકરપ્રિયા ।

તથા માં કુરુ કલ્યાણિ કાન્તકાન્તાં સુદુર્લભામ્ ।।

યુવકના વિવાહ માટેનો ઉપાય

હિન્દુ ધર્મમાં વિવાહને સોળ સંસ્કારોમાં મહત્ત્વનો સંસ્કાર માનવામાં આવે છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના દીકરાનાં લગ્ન ધામધૂમથી થાય, પરંતુ ક્યારેક કેટલાંક કારણોસર તેમનો સંબંધ યોગ્ય સમયે ગોઠવાતો નથી. જો આવું તમારા દીકરા સાથે થઈ રહ્યું હોય તો નીચેનો પ્રયોગ જરૂર અજમાવો.

કુંભાર જે લાકડી વડે ચાકડો ફેરવતો હોય તેને કોઈને જાણ ન થાય તે રીતે મેળવી લો. ત્યારબાદ ઘરનો કોઈ ખૂણો સાફ કરીને ત્યાં આ લાકડી સૌભાગ્યની વસ્તુઓથી સજાવીને તેને એક રીતે કન્યાનું સ્વરૂપ આપીને ખૂણામાં ઊભી મૂકીને ગોળ અને ચોખાથી તેની પૂજા કરો. આ પ્રયોગ અજમાવવાથી વિવાહયોગ્ય યુવકના વિવાહ જલદી ગોઠવાય છે. જો ચાલીસ દિવસમાં તમારી ઇચ્છા પૂરી ન થાય તો આ પ્રયોગ ફરીથી કરો. આ પ્રક્રિયા સાત વાર સુધીમાં અવશ્ય શુભ ફળ આપે છે.

શીઘ્ર વિવાહ માટે વાસ્તુના અચૂક ઉપાય
વિવાહ જીવનની એક મહત્ત્વની બાબત છે. જો વિવાહમાં અથવા વિવાહ નક્કી થવામાં અડચણો આવતી હોય તો તેનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાંથી એક કારણ વાસ્તુદોષ પણ છે. જો આ વાસ્તુદોષોને જાણીને દૂર કરવામાં આવે તો જેના વિવાહ નક્કી ન થઈ રહ્યા હોય તેના વિવાહ શીઘ્ર નક્કી થાય છે. તેના માટે અહીં જણાવેલા વાસ્તુના અચૂક ઉપાયો અજમાવવા જોઈએ.

જો વિવાહસંબંધની બાબતમાં બાધાઓ આવતી હોય તો સંબંધની વાત માટે જ્યારે અતિથિ ઘરે આવે ત્યારે તેમને એ રીતે બેસાડવા જોઈએ કે જેથી તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે. તેમને દ્વાર ન દેખાવો જોઈએ.
મંગળદોષને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો જોઈએ.
વિવાહયોગ્ય યુવક કે યુવતીના રૂમમાં કોઈ પણ પ્રકારની ખાલી ટાંકી, મોટું ખાલી વાસણ ઢાંકણું વાખીને ન