Not Set/ દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનની કમીથી ડૉક્ટર સહિત 8 દર્દીઓના મોત

સમગ્ર વિશ્વમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે .ત્યારે દર્દીઓની સંખ્યા માં પણ સતત વધતી જોવા મળી રહી છે . વધતી સંખ્યાને લીધે બેડ ની અછત સર્જાય છે જેમના લીધે અનેક લોકો મૃત્યુ પામતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે .ત્યારે આજે દીલ્હીની બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનની કમીના કારણે કોરોના સંક્રમિત […]

Top Stories India

સમગ્ર વિશ્વમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે .ત્યારે દર્દીઓની સંખ્યા માં પણ સતત વધતી જોવા મળી રહી છે . વધતી સંખ્યાને લીધે બેડ ની અછત સર્જાય છે જેમના લીધે અનેક લોકો મૃત્યુ પામતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે .ત્યારે આજે દીલ્હીની બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનની કમીના કારણે કોરોના સંક્રમિત 8 દર્દીઓ મોતને  ભેટ્યા હતા .

નોધનીય છે કે , બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનનો સપ્લાય કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડુ થઈ ગયું હતું. હોસ્પિટલ તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, સમયસર ઑક્સિજન નહતો મળ્યો. બપોરે 12 વાગ્યે જ અમારી હોસ્પિટલમાં ઑક્સિજન પતી ગયો હતો .જેમના લીધે 8 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં એક ડોકટર નું પણ નિધન થયું હતું .

આ અંગે દિલ્હીના cm કેજરીવાલે  પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું .