મુંબઇ,
બોલિવૂડના જાણીતા કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ થવાના મામલ દિલ્હી હાઈકોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી છે. મામલો 5 કરોડની લોનમાં ચેક બાઉન્સ થવાનો છે. ટ્રાયલ કોર્ટ સામે કરારની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે, હાઇકોર્ટે અભિનેતા પર સખ્ત વલણને પગલે ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે આ મામલો ‘અતા પતા લાપતા’ ફિલ્મ સાથે સંકળાયેલ છે, આને રાજપાલ યાદવે જ બનાવી હતી. આ ફિલ્મના નિર્માણ માટે, રાજપાલ યાદવે દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી રૂ. 5 કરોડની રકમ લીધી હતી. આ મૂવી રિલીઝ પણ થઇ ગઈ અને ઠંડી સાબિત થઈ. પરંતુ રાજપાલ યાદવે આ પૈસા વેપારીને પાછા આપ્યા ન હતા. આ કેસના કારણે આ વેપારીએ રાજપાલ યાદવ, તેમની પત્ની અને કંપની સામે કેસ દાખલ કર્યો હતો.
માહિતી અનુસાર, આ કેસમાં રાજપાલને અમન મોકલવામાં આવ્યા હતું, પરંતુ તે અદાલતમાં હાજર ન થયા. આ કેસમાં, દિલ્હી હાઇકોર્ટે રાજપાલ યાદવને 2013 માં 10-દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.