મુંબઈ
ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ શોમાં એક ટ્વિસ્ટ જોવા મળશે. હાલ શોમાં અત્યાર સુધી બતાવવામાં આવ્યું છે કે નાયારા-કાર્તિકના તલાક પછી સુવર્ણા તેના દીકરા કાર્તિકના બીજા લગ્ન કરવા માટે પ્લાનિંગ કરી રહી છે. પરંતુ જન્માષ્ટમીના તહેવારમાં નાયરા અને કાર્તિકની લવસ્ટોરી ફરી એકવાર જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે શોના નિર્મતા ફરી એકવાર સ્ટોરી લાઈનને થોડી ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે દર્શકોને ‘કાયર’ની કેમિસ્ટ્રી એટલી તો પસંદ આવી છે કે દરેક લોકો તેમને સાથે જોવા માંગે છે. જેને લઈને નિર્મતાઓએ નાયરા કાર્તિકને ફરી એકવાર સાથે લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આવનારા એપિસોડમાં તમેને બતાવવામાં આવશે કે નાયરા અને કાર્તિક ફરીથી એકસાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરશે. કાર્તિક અને નાયરા તેમના પરિવારોની સામે તેમના પ્રેમને સ્વીકારશે.

ઉલ્લેખનીય છે કે આ વાતથી કાર્તિકની માં સુવર્ણાને ઝટકો લાગી શકે છે. આવનારા એપિસોડ કાર્તિક તેની માતાના વિરુધ જોવા મળશે. શોમાં આવનાર આ બદલાવ ખરેખર રોમાંચક જોવા મળશે. ગયા અઠવાડિયા આ શો ટીઆરપી લિસ્ટમાં ટોપ 5 માં સમાવેશ કરી ચુકી છે અને શોમાં જોવા મળતા આ બદલાવથી ટીઆરપીમાં પણ બદલાવ જોઈ શકાશે.


