નવી દિલ્હીઃ નાણાંકિય વર્ષ 2016-17 માટે કર્મચારી પીએફ પર મળનાર વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇપીએફઓ અંગે CBT એ નિર્ણય કર્યો છે કે, કર્મચારીઓના પીએફ પર 2016-17 દરમિયાન જમા કરવામાં આવેલા પૈસામાં 8.65 ટકા વ્યાજ આપવામાં આવશે. ગયા વર્ષે 2015-16 માં 8.8 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. સરકારના આ નિર્ણયથી 4 કરોડ કર્મચારી પ્રભાવીત થશે.
EPFO ના નિર્ણય લેનાર ટોચના બોર્ડ CBT ની બેઠકમાં સોમવારે બેંગ્લોરમાં થયેલી બેઠકમાં ચાલુ નાણાંકીય વર્ષના યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.